Thursday, February 27, 2020

એક શિક્ષક તરીકે તરુણોને માર્ગદર્શન

મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન
નામ : સોની નિકિતા દિનેશભાઈ
રોલ નંબર : 30
વિષય: બાલ્યાવસ્થા અને વિકાસ
માર્ગદર્શકશ્રી: પ્રો. નિયતિ બેન
                   પ્રો.અંકિતભાઈ
પ્રવૃત્તિ: તરુણાવસ્થા દરમિયાન એક શિક્ષક તરીકે તરુણોને માર્ગદર્શન કઈ રીતે આપશો?
                તરુણાવસ્થા એ જીવનની વસંત નો પ્રાદુર્ભાવ છે.  તે જીવનનો નવજાગૃતિ કાળ છે, તે જીવનનો સંઘર્ષમય સંક્રાંતિકાળ છે.આ અવસ્થા એ વિશિષ્ટ વ્યવસ્થા છે કે જે જીવનમાં નવા પરિવર્તનો નવા વળાંકો લાવે છે.તેથી તેને જીવનનું સંક્રાંતિકાળ કહેવામાં આવે છે. આ અવસ્થા ૧૨ થી ૧૮ વર્ષ દરમિયાન જોવા મળે છે. માનવના જીવન ની ભાવિ ભારતના ઘડતરમાં આ અવસ્થા અતિ મહત્વનો ભાગ ભજવે છે.આ અવસ્થા દરમિયાન તરુણો શિક્ષાર્થીઓ કે વિદ્યાર્થીઓ બનતા હોવાથી મહદંશે તેમના ઘરની જવાબદારી શાળા શિક્ષકો પર આવી જાય છે.
"It is a period in the life of the individual which begins at the end of the childhood and ends in the beginning of youth."
           
                                                                                                 -Joues and simpran
                 તરુણાવસ્થા દરમ્યાન તરુણોની અલગ અલગ જરૂરિયાતો અને એમની અલગ અલગ સમસ્યાઓ હોય છે. જેને એક શિક્ષકે જાણી ઓળખી અને તેને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. આવી જરૂરિયાતોમાં દરજ્જા માટેની જરૂરિયાત,સ્વતંત્રતા માટેની જરૂરિયાત,જીવનના દર્શનને સંતોષવાની જરૂરિયાત તેમજ જાતીય જરુરીયાત ઉદ્ભવે છે . જો તરુણોની આ જરૂરિયાતો ન સંતોષાય અથવા જો અનુકૂળ ન સાંધી શકે તો તેમને વિવિધ સમસ્યાઓ ઉદભવે છે જેનું યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બને છે.
                         માર્ગદર્શનના મુખ્યત્વે ત્રણ સ્તર છે: 1)  પ્રથમ સ્તર 2)બીજું સ્તર અને 3)તૃતીય સ્તર
1) પ્રથમ સ્તર   
           આ સ્તરમાં સલાહકારો શિક્ષણનું કામ કરતા હોય છે સાથે સાથે ખંડસમયના સલાહકાર તરીકે પણ કામગીરી બજાવે છે.શિક્ષકો કાર્યકરો માર્ગદર્શક કાર્યકરો વગેરે આવું કામ કરતા હોય છે. શિક્ષકો તેમનું શૈક્ષણિક કાર્ય ઘટાડીને સલાહકારે સોંપાય છે.જેમકે પિરિયડ લેવાનું કામ ઘટાડવું, છેલ્લા બે પિરિયડ ફ્રી ..જોકે સલાહને તેઓ એક વ્યવસાય તરીકે સ્વીકારતા નથી .જ્યાં જરૂર હોય તેઓ કેસને શોધીને તજજ્ઞ પાસે મોકલી આપે છે. 
            સલાહ ના પ્રથમ સ્તર ભારત જેવા વિકસતા દેશ માટે અત્યંત ઉપયોગી છે. સલાહકારને અલગ પગાર આપીને રાખવો શાળાઓને આર્થિક રીતે પૂજા તો નથી. તાલીમ બાદ લાયકાત ધરાવતા વ્યવસાયી સલાહકારો શોધવા પણ અઘરું કામ છે.આથી આવા ખંડ સમયના સલાહકારો થી પણ ચલાવી લેવું પડે છે.
2)બીજું સ્તર
           આ સ્તરે ચલાના કાર્ય માટે વિશિષ્ટ સમયની ફાળવણી અને જવાબદારી વ્યવસ્થા થઈ હોય છે.આ સલાહકારો તાલીમ બધ્ધ હોય છે.સલાહમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોય છે.અહીં સલાહ કે માર્ગદર્શક નો હોદ્દો અપાય છે. તેઓને શિક્ષણકાર્ય ઉપરાંત સહકાર્ય માટે ફાળવવામાં આવે છે. શાળામાં પૂર્ણ સમયના સલાહકારને શિક્ષણ કાર્ય સોંપવામાં આવતું નથી.તેઓ સલાહ સેવાઓનો સમન્વય અને સંચાલન કરે છે.માર્ગદર્શન કાર્યક્રમનો અમલ કરે છે.તેમના કાર્યક્રમોમાં બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાંકળી લેવામાં આવે છે તેમાં વ્યક્તિગત કે જૂથ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.આ સ્તરના સલાહકાર મનોવૈજ્ઞાનિક કસોટીઓ ના સંચાલન ,કેસ પરિષદ તથા શાળાઓમાં વિદ્યાર્થીઓ ના સંપર્ક માટે જવાબદાર ગણાય છે.
3) તૃતીય સ્તર
           આ સ્તરના સલાહકારો પાસે ખાસ અભ્યાસક્રમ ની પદવી હોય છે મનોવિજ્ઞાન કે સલાહમાં અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી જરૂરી જણાય છે ખાસ કરીને કોલેજના સલાહ કેન્દ્રોમાં આવી પદવી જોવા મળે છે પરંતુ ભારતમાં હજુ સલાહ નો વ્યવસાય બાલ્યાવસ્થામાં છે પૂર્ણ સમયના સલાહકાર તરીકે નોકરી મેળવવું પર્યાપ્ત રીતે શક્ય બનતું નથી ભારતની સ્થિતિ એવી છે કે વ્યવસાયિક સલાહકારોને તેમના ક્ષેત્રની બહાર રાખવામાં આવે છે આથી સલાહ વ્યવસાય અને તેમના વિકાસનો પ્રગતિ રથ અટકી ગયો છે અમેરિકામાં માર્ગદર્શન અને સલાહ ના ઈતિહાસીક વિકાસના આલેખનમાં પ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં થયેલું.
ધંધાકીય સલાહ
           કારકિર્દી સલાહકાર વિદ્યાર્થી જીવન પૂર્ણ થતાં તેમજ શિક્ષણના આયોજનો અને નિર્ણય પર ભાર મૂકે છે.કારકિર્દી સલાહના હેતુ વ્યક્તિને વ્યવસાયમાં સજ્જ કરવાનો છે. વ્યક્તિ અનેક વ્યવસાયમાં પ્રવેશી શકે છે.તેથી પોતે કયો વ્યવસાય પસંદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.ત્યારે વ્યવસાયિક પસંદગીમાં તે કોઈની સહાય ઝંખે છે. વ્યવસાયિક સલાહ વ્યક્તિને વ્યવસાયની પસંદગી મેળવી આપવામાં, તેમાં પ્રગતિ સાધવામાં અને તેમાં અનુકૂલન પ્રાપ્ત કરવામાં સલાહ ખૂબ જ ઉપયોગી બને છે. માનવીની જિંદગીનો 50% સમય વ્યવસાયમાં પસાર થાય છે. તેથી વ્યવસાય કારકિર્દી સલાહની જરૂર પ્રતિદિન વધતી જાય છે.આવા સમયે એક શિક્ષકે યોગ્ય ધંધાકીય માર્ગદર્શન આપવું જરૂરી બને છે.                                         
કારકિર્દી સલાહ
            "વ્યવસાય પસંદગી કોઈ પાકેલું ફળ નથી,જે તમારા ખોળામાં ટપકી પડે તેને પકડવું પડે છે."
            આમ કારકિર્દી સલાહ એ વ્યવસાય સલાહ જેવી જ છે છતાં પણ દરેક વ્યક્તિ માટે અદ્વિતીય છે. અને તે વ્યક્તિત્વ શૈલી વિકાસાત્મક તબક્કાઓની જીવન ભૂમિકા માંથી પ્રભાવિત થાય છે.કારકિર્દી સલાહ મૂલ્યો અને મનોવલણો નું અન્વેષણ કરવામાં આવે છે.આ તમારી ક્યાં જવાનું છે કયા અભ્યાસક્રમમાં દાખલ થવાનું છે તે પહેલેથી નક્કી થઈ જાય તો વધારે સારું છે.કારકિર્દી સલાહથી વ્યક્તિ પોતાની શક્તિ,અભિરુચિ, અભિયોગ્યતા,કૌશલ્ય વગેરેથી માહિતી થાય અને તે અનુસાર નોકરીની પસંદગી કરે છે. જે તેને મદદરૂપ થવાનું છે.વ્યવસાય સતત બદલાતા જાય છે,નવા નવા વ્યવસાય ઉમેરાતા જાય છે, આથી dictionary of occupational વિષે પણ સલાહથી ને માહિતગાર કરવો જોઈએ.
અન્ય
👉આ અવસ્થામાં તરૂણ છોકરા અને છોકરીઓ તે પોતાનું શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે કસરત અને વ્યાયામ તેમજ રમત ગમત અંગે પુરતું માર્ગદર્શન આપવું જોઈએ.
👉આ અવસ્થામાં તરુણીઓ ને જીવન ની વાસ્તવિકતાઓ માન્યતાઓ તેમજ સમાજમાં પ્રવર્તતી સામાજિક રીત-રિવાજો વિષે જાણકાર કરવા જોઈએ.
👉તરુંણોને એ સમજાવવું જોઈએ કે આ સમયગાળો તેમની કારકિર્દી ઘડવાનું શ્રેષ્ઠ સમયગાળો છે આથી તેઓને માટે વિચારવા પ્રેરિત કરવા જોઈએ.
👉તેઓને તેમના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સારા પુસ્તકો વાંચવા જોઈએ તેમજ ચિત્ર સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધાઓ ચર્ચાઓ તેમજ સાહિત્ય ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
👉આ અવસ્થાના બાળકો જવાબદારી પૂર્ણ કાર્યોમાં રસ લેતા થાય તેઓ ને તેવું માર્ગદર્શન પુરૂં પાડવું જોઈએ. વાલીઓ અને શિક્ષકોએ તેમને જવાબદારીવાળા કાર્યો સોપવા જોઈએ.
👉શિક્ષકે તરુણોના માતા-પિતા સાથે પ્રત્યક્ષ સંપર્ક રાખી તેઓ વીશે જાણકારી મેળવવી જોઇએ અને તે મુજબ તેઓને માર્ગદર્શન આપવું જોઈએ.
👉તરુણાવસ્થામાં બાળકો તેમની ભાવિ શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી અંગે વધુ ચિંતિત રહેતા હોય છે. તેઓ આ અંગે યોગ્ય નિર્ણય લઈ નિશ્ચિંત થવા માંગે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકો અને શાળાઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન ની જોગવાઈ કરવી જોઈએ.
        આમ, શાળામાં એક શિક્ષકે તરુણો લાગણીઓ અને સમસ્યાઓને ઓળખી ,સમજી અને તેને નિવારવા માટેના ઉપાયો કરવા જોઈએ તેમજ તેમને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પુરૃ પાડવું જોઈએ.
નામ : સોની નિકિતા દિનેશભાઈ
રોલ નંબર : 30
વિષય: બાલ્યાવસ્થા અને વિકાસ
માર્ગદર્શકશ્રી: પ્રો. નિયતિ બેન
                   પ્રો.અંકિતભાઈ
પ્રવૃત્તિ: તરુણાવસ્થા દરમિયાન એક શિક્ષક તરીકે તરુણોને માર્ગદર્શન કઈ રીતે આપશો?
                તરુણાવસ્થા એ જીવનની વસંત નો પ્રાદુર્ભાવ છે.  તે જીવનનો નવજાગૃતિ કાળ છે, તે જીવનનો સંઘર્ષમય સંક્રાંતિકાળ છે.આ અવસ્થા એ વિશિષ્ટ વ્યવસ્થા છે કે જે જીવનમાં નવા પરિવર્તનો નવા વળાંકો લાવે છે.તેથી તેને જીવનનું સંક્રાંતિકાળ કહેવામાં આવે છે. આ અવસ્થા ૧૨ થી ૧૮ વર્ષ દરમિયાન જોવા મળે છે. માનવના જીવન ની ભાવિ ભારતના ઘડતરમાં આ અવસ્થા અતિ મહત્વનો ભાગ ભજવે છે.આ અવસ્થા દરમિયાન તરુણો શિક્ષાર્થીઓ કે વિદ્યાર્થીઓ બનતા હોવાથી મહદંશે તેમના ઘરની જવાબદારી શાળા શિક્ષકો પર આવી જાય છે.
"It is a period in the life of the individual which begins at the end of the childhood and ends in the beginning of youth."
           
                                                                                                 -Joues and simpran
                 તરુણાવસ્થા દરમ્યાન તરુણોની અલગ અલગ જરૂરિયાતો અને એમની અલગ અલગ સમસ્યાઓ હોય છે. જેને એક શિક્ષકે જાણી ઓળખી અને તેને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. આવી જરૂરિયાતોમાં દરજ્જા માટેની જરૂરિયાત,સ્વતંત્રતા માટેની જરૂરિયાત,જીવનના દર્શનને સંતોષવાની જરૂરિયાત તેમજ જાતીય જરુરીયાત ઉદ્ભવે છે . જો તરુણોની આ જરૂરિયાતો ન સંતોષાય અથવા જો અનુકૂળ ન સાંધી શકે તો તેમને વિવિધ સમસ્યાઓ ઉદભવે છે જેનું યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બને છે.
                         માર્ગદર્શનના મુખ્યત્વે ત્રણ સ્તર છે: 1)  પ્રથમ સ્તર 2)બીજું સ્તર અને 3)તૃતીય સ્તર
1) પ્રથમ સ્તર   
           આ સ્તરમાં સલાહકારો શિક્ષણનું કામ કરતા હોય છે સાથે સાથે ખંડસમયના સલાહકાર તરીકે પણ કામગીરી બજાવે છે.શિક્ષકો કાર્યકરો માર્ગદર્શક કાર્યકરો વગેરે આવું કામ કરતા હોય છે. શિક્ષકો તેમનું શૈક્ષણિક કાર્ય ઘટાડીને સલાહકારે સોંપાય છે.જેમકે પિરિયડ લેવાનું કામ ઘટાડવું, છેલ્લા બે પિરિયડ ફ્રી ..જોકે સલાહને તેઓ એક વ્યવસાય તરીકે સ્વીકારતા નથી .જ્યાં જરૂર હોય તેઓ કેસને શોધીને તજજ્ઞ પાસે મોકલી આપે છે. 
            સલાહ ના પ્રથમ સ્તર ભારત જેવા વિકસતા દેશ માટે અત્યંત ઉપયોગી છે. સલાહકારને અલગ પગાર આપીને રાખવો શાળાઓને આર્થિક રીતે પૂજા તો નથી. તાલીમ બાદ લાયકાત ધરાવતા વ્યવસાયી સલાહકારો શોધવા પણ અઘરું કામ છે.આથી આવા ખંડ સમયના સલાહકારો થી પણ ચલાવી લેવું પડે છે.
2)બીજું સ્તર
           આ સ્તરે ચલાના કાર્ય માટે વિશિષ્ટ સમયની ફાળવણી અને જવાબદારી વ્યવસ્થા થઈ હોય છે.આ સલાહકારો તાલીમ બધ્ધ હોય છે.સલાહમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોય છે.અહીં સલાહ કે માર્ગદર્શક નો હોદ્દો અપાય છે. તેઓને શિક્ષણકાર્ય ઉપરાંત સહકાર્ય માટે ફાળવવામાં આવે છે. શાળામાં પૂર્ણ સમયના સલાહકારને શિક્ષણ કાર્ય સોંપવામાં આવતું નથી.તેઓ સલાહ સેવાઓનો સમન્વય અને સંચાલન કરે છે.માર્ગદર્શન કાર્યક્રમનો અમલ કરે છે.તેમના કાર્યક્રમોમાં બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સાંકળી લેવામાં આવે છે તેમાં વ્યક્તિગત કે જૂથ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.આ સ્તરના સલાહકાર મનોવૈજ્ઞાનિક કસોટીઓ ના સંચાલન ,કેસ પરિષદ તથા શાળાઓમાં વિદ્યાર્થીઓ ના સંપર્ક માટે જવાબદાર ગણાય છે.
3) તૃતીય સ્તર
           આ સ્તરના સલાહકારો પાસે ખાસ અભ્યાસક્રમ ની પદવી હોય છે મનોવિજ્ઞાન કે સલાહમાં અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવી જરૂરી જણાય છે ખાસ કરીને કોલેજના સલાહ કેન્દ્રોમાં આવી પદવી જોવા મળે છે પરંતુ ભારતમાં હજુ સલાહ નો વ્યવસાય બાલ્યાવસ્થામાં છે પૂર્ણ સમયના સલાહકાર તરીકે નોકરી મેળવવું પર્યાપ્ત રીતે શક્ય બનતું નથી ભારતની સ્થિતિ એવી છે કે વ્યવસાયિક સલાહકારોને તેમના ક્ષેત્રની બહાર રાખવામાં આવે છે આથી સલાહ વ્યવસાય અને તેમના વિકાસનો પ્રગતિ રથ અટકી ગયો છે અમેરિકામાં માર્ગદર્શન અને સલાહ ના ઈતિહાસીક વિકાસના આલેખનમાં પ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં થયેલું.
ધંધાકીય સલાહ
           કારકિર્દી સલાહકાર વિદ્યાર્થી જીવન પૂર્ણ થતાં તેમજ શિક્ષણના આયોજનો અને નિર્ણય પર ભાર મૂકે છે.કારકિર્દી સલાહના હેતુ વ્યક્તિને વ્યવસાયમાં સજ્જ કરવાનો છે. વ્યક્તિ અનેક વ્યવસાયમાં પ્રવેશી શકે છે.તેથી પોતે કયો વ્યવસાય પસંદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.ત્યારે વ્યવસાયિક પસંદગીમાં તે કોઈની સહાય ઝંખે છે. વ્યવસાયિક સલાહ વ્યક્તિને વ્યવસાયની પસંદગી મેળવી આપવામાં, તેમાં પ્રગતિ સાધવામાં અને તેમાં અનુકૂલન પ્રાપ્ત કરવામાં સલાહ ખૂબ જ ઉપયોગી બને છે. માનવીની જિંદગીનો 50% સમય વ્યવસાયમાં પસાર થાય છે. તેથી વ્યવસાય કારકિર્દી સલાહની જરૂર પ્રતિદિન વધતી જાય છે.આવા સમયે એક શિક્ષકે યોગ્ય ધંધાકીય માર્ગદર્શન આપવું જરૂરી બને છે.                                         
કારકિર્દી સલાહ
            "વ્યવસાય પસંદગી કોઈ પાકેલું ફળ નથી,જે તમારા ખોળામાં ટપકી પડે તેને પકડવું પડે છે."
            આમ કારકિર્દી સલાહ એ વ્યવસાય સલાહ જેવી જ છે છતાં પણ દરેક વ્યક્તિ માટે અદ્વિતીય છે. અને તે વ્યક્તિત્વ શૈલી વિકાસાત્મક તબક્કાઓની જીવન ભૂમિકા માંથી પ્રભાવિત થાય છે.કારકિર્દી સલાહ મૂલ્યો અને મનોવલણો નું અન્વેષણ કરવામાં આવે છે.આ તમારી ક્યાં જવાનું છે કયા અભ્યાસક્રમમાં દાખલ થવાનું છે તે પહેલેથી નક્કી થઈ જાય તો વધારે સારું છે.કારકિર્દી સલાહથી વ્યક્તિ પોતાની શક્તિ,અભિરુચિ, અભિયોગ્યતા,કૌશલ્ય વગેરેથી માહિતી થાય અને તે અનુસાર નોકરીની પસંદગી કરે છે. જે તેને મદદરૂપ થવાનું છે.વ્યવસાય સતત બદલાતા જાય છે,નવા નવા વ્યવસાય ઉમેરાતા જાય છે, આથી dictionary of occupational વિષે પણ સલાહથી ને માહિતગાર કરવો જોઈએ.
અન્ય
👉આ અવસ્થામાં તરૂણ છોકરા અને છોકરીઓ તે પોતાનું શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે કસરત અને વ્યાયામ તેમજ રમત ગમત અંગે પુરતું માર્ગદર્શન આપવું જોઈએ.
👉આ અવસ્થામાં તરુણીઓ ને જીવન ની વાસ્તવિકતાઓ માન્યતાઓ તેમજ સમાજમાં પ્રવર્તતી સામાજિક રીત-રિવાજો વિષે જાણકાર કરવા જોઈએ.
👉તરુંણોને એ સમજાવવું જોઈએ કે આ સમયગાળો તેમની કારકિર્દી ઘડવાનું શ્રેષ્ઠ સમયગાળો છે આથી તેઓને માટે વિચારવા પ્રેરિત કરવા જોઈએ.
👉તેઓને તેમના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સારા પુસ્તકો વાંચવા જોઈએ તેમજ ચિત્ર સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધાઓ ચર્ચાઓ તેમજ સાહિત્ય ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
👉આ અવસ્થાના બાળકો જવાબદારી પૂર્ણ કાર્યોમાં રસ લેતા થાય તેઓ ને તેવું માર્ગદર્શન પુરૂં પાડવું જોઈએ. વાલીઓ અને શિક્ષકોએ તેમને જવાબદારીવાળા કાર્યો સોપવા જોઈએ.
👉શિક્ષકે તરુણોના માતા-પિતા સાથે પ્રત્યક્ષ સંપર્ક રાખી તેઓ વીશે જાણકારી મેળવવી જોઇએ અને તે મુજબ તેઓને માર્ગદર્શન આપવું જોઈએ.
👉તરુણાવસ્થામાં બાળકો તેમની ભાવિ શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી અંગે વધુ ચિંતિત રહેતા હોય છે. તેઓ આ અંગે યોગ્ય નિર્ણય લઈ નિશ્ચિંત થવા માંગે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકો અને શાળાઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન ની જોગવાઈ કરવી જોઈએ.
        આમ, શાળામાં એક શિક્ષકે તરુણો લાગણીઓ અને સમસ્યાઓને ઓળખી ,સમજી અને તેને નિવારવા માટેના ઉપાયો કરવા જોઈએ તેમજ તેમને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પુરૃ પાડવું જોઈએ.

No comments:

Post a Comment