Thursday, February 20, 2020

તરુણાવસ્થાની લાક્ષણિકતા દર્શાવતો અહેવાલ

મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન
સેમેસ્ટર 2
બાલ્યાવસ્થા અને વિકાસ
નામ : સોની નિકિતા દિનેશભાઈ
રોલ નંબર : 30
       તરુણ તરુણીનું ની મુલાકાત મેળવી તેમના લક્ષણો તારવતો અહેવાલ
                                                                                                                                  20 ફેબ્રુઆરી 2020
           તારીખ 11 ફેબ્રુઆરી 2020 થી તારીખ 18 ફેબ્રુઆરી 2020 દરમિયાન પેપર 5 બાલ્યાવસ્થા અને વિકાસ ની પ્રવૃત્તિ હેઠળ તરુણો ની મુલાકાત લઇ તેમની લાક્ષણિકતા તારવવાની હતી. જે હેઠળ ૧૨ થી ૧૮ વર્ષની ઉંમરના તરુણ તરુણી ની મુલાકાત લીધી.  અલગ અલગ પ્રશ્નો અને પ્રવૃત્તિઓ દ્વારા તેમનું મૂલ્યાંકન કરી જે પરથી તેમની લાક્ષણીકતાઓ વિશે મુજબ તારવેલ છે:
👉🏻આ અવસ્થામાં તેમનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે.
👉🏻તરુણ તરુણીઓમાં જાતીય અંગ એનો વિકાસ થાય છે જેમાં છોકરાઓની મૂછનો દોરો ફૂટી છે ગાલ પર દાઢી ઉગે છે તેમજ તેમના જાતીય અંગોનો વિકાસ થાય છે જ્યારે છોકરીઓના જાતિ અંગોનો વિકાસ થાય છે તેમજ માસિક રજોસ્ત્રાવ શરૂ થાય છે.
👉🏻તેઓ ઝડપી નિર્ણય લે છે.
તેઓ સ્વયં નિયંત્રણમાં હોતા નથી.
👉🏻તેમનામાં વિજાતીય આકર્ષક ની વૃત્તિ હોય છે.
👉🏻બધાએ me તરફ આકર્ષાય તેવી પ્રવૃત્તિ કરે છે.
👉🏻સર્જનાત્મકતા માં વૃદ્ધિ થાય છે.
👉🏻કલ્પનાશીલ રહેશે તેમજ આસપાસના વાતાવરણમાં પ્રેમ અને લાગણીઓ શોધે છે.
👉🏻ગુસ્સો ઝડપથી આવી જાય છે.
👉🏻લઘુતાગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ થી પીડાતા જોવા મળે છે.
👉🏻મિત્ર વર્તુળમાં રહેવાનું વધારે પસંદ કરે છે.
👉🏻પોતાના સુખ દુઃખ ની વહેંચણી કરે છે.
👉🏻તેમને ગમતું કાર્ય કરે છે.
ઘણા તરુણીઓ વ્યસનોથી પીડાય છે.
👉🏻ઘણા તરુણ તરુણીનું કુટુંબમાં રહેવાથી પુસ્તક નિયમોનું પાલન કરવું પડે છે જેથી વિકાસની સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી.
👉🏻અન્ય વાતાવરણમાં અનુકૂલન સાધવામાં તકલીફ પડે છે.
પોતાના ભવિષ્ય અંગેની ચિંતા કરે છે.
👉🏻પોતાના પહેરવેશ અને દેખાવ પર વધારે ધ્યાન આપે છે.
👉🏻પોતે બીજાથી કઈ રીતે જુદું પડે તેવા કાર્યો કરવા પ્રેરાય છે.
👉🏻ઘણી વખત નકારાત્મક વલણ જેવા કે ખોટું બોલવું ચોરી કરવી વગેરે જેવા ગુનાઓ પણ કરે છે.
👉🏻જો તેમને પ્રોત્સાહન પુરૂં પાડવામાં ન આવે તો જવાબ આપતા નથી.
👉🏻પોતાનામાં રહેલી આવડત અને કળા કૌશલ્ય નું અભિમાન હોય છે.
👉🏻પોતાને કયા વ્યવસાયમાં રુચિ છે તે અંગેની તૈયારી કરે છે.
આર્થિક સ્વતંત્રતા મેળવવાના પ્રયાસો કરે છે.
👉🏻પોતાના નિર્ણયો પોતે લેવા માટે સક્ષમ બને છે.
👉🏻ઘણીવાર પોતાની ભૂલોનો સ્વીકાર કરતા નથી.
   આમ ઉપર જણાવેલ દરેક લક્ષણો તરુણ તરુણીનું જોવા મળ્યા જે પરથી એવું તારણ કાઢી શકાયું કે આ અવસ્થા દરમિયાન તરુણીઓને સ્વતંત્ર અને મુક્ત જીવન જીવવાની ઈચ્છા હોય છે . એટલે જ આ અવસ્થા વિશિષ્ટ વ્યવસ્થા છે. જેમાં જીવનમાં ઘણા નવા પરિવર્તનો અને વળાંકો આવે છે. તેથી જ આ અવસ્થાને વસંત તેમ જ જીવનનો નવજાગૃતિ કાળ કહેવાયો છે.

No comments:

Post a Comment